15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની કરશે શરૂઆત
AVS Post Bureau, અમદાવાદ
આમ આદમી પાર્ટીની પરીવતઁન યાત્રામાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતના છ અલગ અલગ સ્થળોથી શરૂ થશે
પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓ ઉઠાવશે
ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી- આપ આગળ વધી રહી છે. હવે આદમી પાર્ટી વધુ તેજીથી આગળ વધવા માટે સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરવા જઈ રહી છે.
આવતીકાલે 15 મે થી ગુજરાતના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરશે.
ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના પ્રસ્થાન સ્થળો નિચે મુજબના છે.
*પ્રસ્થાન સ્થળ: 1*
સોમનાથથી ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ શ્રા ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નિમિષાબેન ખુંટ તથા આમ આદમી પાટીઁ ગુજરાત યુથ વિંગ પ્રમુખ શ્રી પ્રવીણ રામ ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.
*પ્રસ્થાન સ્થળ: 2*
દ્વારકાથી ‘આપ’ નેતા શ્રી ઇસુદાન ગઢવી, શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી શ્રા અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ સાથે સવારે 9:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.
*પ્રસ્થાન સ્થળ: 3*
સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી શ્રા સાગરભાઈ રબારી સવારે 10:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.
*પ્રસ્થાન સ્થળ: 4*
દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી નેતા મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી શ્રા રામ ધડૂક અને આપ નેતા શ્રી રાકેશ હિરપરા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.
*પ્રસ્થાન સ્થળ: 5*
ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ વસાવા સવારે 10:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.
*પ્રસ્થાન સ્થળ: 6*
અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ શ્રી રાજુ કરપડા અને ‘આપ’ નેતા શ્રી કૈલાશદાન ગઢવી સવારે 7:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા,ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આપ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.