15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની કરશે શરૂઆત

 15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની કરશે શરૂઆત

AVS Post Bureau, અમદાવાદ

આમ આદમી પાર્ટીની પરીવતઁન યાત્રામાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતના છ અલગ અલગ સ્થળોથી શરૂ થશે

પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓ ઉઠાવશે

ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી- આપ આગળ વધી રહી છે. હવે આદમી પાર્ટી વધુ તેજીથી આગળ વધવા માટે સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરવા જઈ રહી છે.

આવતીકાલે 15 મે થી ગુજરાતના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરશે.

ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના પ્રસ્થાન સ્થળો નિચે મુજબના છે.

*પ્રસ્થાન સ્થળ: 1*
સોમનાથથી ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ શ્રા ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નિમિષાબેન ખુંટ તથા આમ આદમી પાટીઁ ગુજરાત યુથ વિંગ પ્રમુખ શ્રી પ્રવીણ રામ ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

*પ્રસ્થાન સ્થળ: 2*
દ્વારકાથી ‘આપ’ નેતા શ્રી ઇસુદાન ગઢવી, શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી શ્રા અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ સાથે સવારે 9:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

*પ્રસ્થાન સ્થળ: 3*
સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી શ્રા સાગરભાઈ રબારી સવારે 10:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

*પ્રસ્થાન સ્થળ: 4*
દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી નેતા મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી શ્રા રામ ધડૂક અને આપ નેતા શ્રી રાકેશ હિરપરા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

*પ્રસ્થાન સ્થળ: 5*
ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ વસાવા સવારે 10:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

*પ્રસ્થાન સ્થળ: 6*
અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ શ્રી રાજુ કરપડા અને ‘આપ’ નેતા શ્રી કૈલાશદાન ગઢવી સવારે 7:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા,ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આપ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *