ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

 ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

નીરવ જોષી , હિંમતનગર

આજરોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાબરકાંઠા ઇન્ડસ્ટ્રી ફેડરેશનના ઉપક્રમે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના માહોલમાં જિલ્લાના ઉદ્યોગોને પણ માઠી અસર પહોંચી છે, આને પરિણામે સાબરકાંઠા જિલ્લાના ઇન્ડસ્ટ્રી ફેડરેશન ના પ્રમુખ કાંતિભાઇ શાહ તેમજ અન્ય પદાધિકારીઓના પ્રયાસોને લીધે જિલ્લાના ઉદ્યોગકારોના સંગઠન તેમજ જિલ્લાના ઉદ્યોગિક કેન્દ્ર ના નેજા હેઠળ અર્થપૂર્ણ સંવાદ યોજીને આગામી સમયમાં વિવિધ ઉદ્યોગોને સરકાર કેવી મદદ કરી શકે તે અંગે અર્થપૂર્ણ પરિસંવાદ આયોજિત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *