સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

 સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

નીરવ જોષી , હિંમતનગર (M-9106814540)

ઓર્ગેનિક ખેતી એટલે કે કુદરતી છાણ ખાતર થી થતી ખેતી તેમજ જંતુનાશકોનો પણ કોઈપણ ઉપયોગ ન થાય તેમજ ફક્ત કુદરતી જંતુનાશક જ વપરાય એવી ખેતી વડે જે અનાજ કે ફળ ફૂલ પ્રાપ્ત થાય છે એને કુદરતી ખેતી કે ઓર્ગેનિક ખેતી કહેવાય છે. આવી ઓર્ગેનિક ખેતી કરવામાં સાબરકાંઠા જિલ્લો પણ પાછળ ન રહે તેવો સંનિષ્ઠ પ્રયાસ કેટલાક ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતો એ શરૂ કર્યો છે. આપણાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે દેશના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવી અને તે માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય હોઈ, છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં પ્રાકૃતિક ખેતીની કામગીરી આત્મા યોજના દ્વારા કરવામાં આવી રહી છે.

માન.વડાપ્રધાનશ્રી દ્વારા રાજયમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી થાય તે માટે રાજ્યને ૧૦૦ ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવેલ.જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લામાં પોશિના,ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના ખેડૂતોની પી.કે.વી. સાબરકાંઠા એસ.પી.એન.એફ. પ્રોડ્યુસર કંપની લી. અને તલોદ,પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના ખેડૂતોની ટી.પી.એચ. સાબરકાંઠા એસ.પી.એન.એફ. પ્રોડ્યુસર કંપની લી. નામક બે ફાર્મર પ્રોડ્યુસર કંપની હાલમાં ચાલુ કરવામાં આવેલ છે.જેના સભાસદો તેમજ જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની બેઠક તા.૨૭/૦૫/૨૦૨૨ ને શુક્રવારના રોજ સ્વામીનારાયણ મંદિર,કાંકણોલ,હિંમતનગર ખાતે મળેલ હતી.જેમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય અને જીલ્લામાં બનેલ ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાઇ પોતે પણ આર્થિક અને સામાજીક રીતે પગભર થાય તે માટે કુબેર કોર્પોરેશન કંપની તરફથી આવેલ સી.એસ. શ્રી યોગેશભાઈ સોમૈયા અને એસ.પી.એન.એફ. સંયોજક શ્રી દિક્ષિતભાઈ પટેલ તેમજ એફ.પી.ઓ.ના ડિરેક્ટરશ્રીઓ ધ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવેલ હતો.

1

આ પ્રસંગે શ્રી દીપસિંહ રાઠોડ,માન.સાંસદ સભ્યશ્રી,સાબરકાંઠા અને અરવલ્લી,શ્રી વિપુલભાઈ પટેલ,સાબરકાંઠા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી, શ્રી બળવંતભાઈ પટેલ, પ્રાંતિજ તાલુકા પ્રમુખશ્રી,ભાજપા,શ્રી ડી.જે.પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સાબરકાંઠા,શ્રી જીગરભાઈ પટેલ,મદદનીશ બાગાયત નિયામકશ્રી,સાબરકાંઠા,શ્રી ભરતભાઇ પટેલ, મેનેજરશ્રી,ગુજરાત એગ્રો,સાબરકાંઠા,શ્રી એમ.ડી.પટેલ,ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર,આત્મા,સાબરકાંઠા,શ્રી રમેશભાઈ પટેલ, ઝોનલ સંયોજકશ્રી, પ્રાકૃતિક ખેતી,સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા અને તાલુકાનાં સંયોજકશ્રીઓ તેમજ સહ સંયોજકશ્રીઓ અને આત્મા સ્ટાફ તેમજ જિલ્લાના એફ.પી.ઓ.ના સભાસદો તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *